લાઇફ સ્ટાઇલ

ચૈત્રી નવરાત્રીના ૮મા નોરતે મહાગૌરી માતાની આરાધના અને કન્યા પૂજનનો વિશેષ મહિમા

ચૈત્રી નવરાત્રીના ૮મા નોરતે મહાગૌરી માતાની આરાધના અને કન્યા પૂજનનો વિશેષ મહિમા

ચૈત્રી નવરાત્રીના પવિત્ર ૮મા નોરતા એટલે અષ્ટમીના દિવસે માતાજીનું મહાગૌરી સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. આ દિવસે ભક્તો વિશેષ શ્રદ્ધા અને ભક્તિ સાથે માતાજીની આરાધના કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

મહાગૌરી માતા શુદ્ધતા, શાંતિ અને કલ્યાણનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા મુજબ તેમની કૃપાથી જીવનના તમામ દુઃખો દૂર થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આ દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. નાની બાળાઓને માતાજીનું સ્વરૂપ માની તેમના પગ ધોઈ, આરતી ઉતારી અને ચણા, પૂરી તથા શીરોનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

આ રીતે અષ્ટમીના પવિત્ર દિવસે ભક્તો માતાજીની આરાધનામાં લીન રહી ધાર્મિક ભાવના સાથે નવરાત્રી ઉત્સવને ઉજવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!