સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના વકતાપુર ગામે યુવકની મળી લાશ

બનાવની વિગત એવી છે કે સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકાના વકતાપુર ગામે પ્રાથમિકશાળાના પાછળના ભાગે યુવક ની લાશ મળી રહેતા ચકચાર મચી જવા પામી હતી.યુવકની લાશના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.મરણજનાર યુવાન વિરપુરના શ્રી નાથનગર ગામના સુરેન્દ્રસિહ ચૌહાણ હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાવની જાણ હિમતનગર ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ધટના સ્થળે પહુચી ગઈ હતી.મરનાર યુવકની ડેડબોડી પોસ્ટમેટમ અર્થે હિમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. શીતલ ઠાકર,ગાંધીનગર




