સાબરકાંઠા
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહાવીર નગર ચાર રસ્તા ખાતે આતંકવાદના પૂતળાનું દહન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર સતત થઈ રહેલા હુમલાઓ તથા હિન્દુ યુવાન દીપુદાસની કરુણ હત્યાના ગંભીર સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહાવીર નગર ચાર રસ્તા ખાતે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ વિરોધ કાર્યક્રમ દરમિયાન બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચાર સામે તીવ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ દોષિતો સામે કડક આંતરરાષ્ટ્રીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ ભારત સરકાર અને વૈશ્વિક સમુદાયને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી. શીતલ ઠાકર,ગાંધીનગર




