સાબરકાંઠા LCBને મોટી સફળતા: ચિઠોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતો ફરતો રાજસ્થાનનો આરોપી ઝડપાયો

આગામી રથયાત્રાના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે માટે સાબરકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી છે. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIG) શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક (SP) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી જિલ્લામાં તા. ૧૫/૦૭/૨૦૨૬ થી તા. ૩૦/૦૭/૨૦૨૬ સુધી (૧૬ દિવસ) નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના પ્રથમ દિવસે જ સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાજસ્થાનના ઉદેપુરથી છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા એક રીઢા આરોપીને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે.
ગુપ્ત બાતમીના આધારે ઉદેપુરથી કરાઈ ધરપકડ
સાબરકાંઠા LCB પી.આઈ. ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ.જે. ચાવડા અને તેમની ટીમ પેરોલ ફર્લો/એલ.સી.બી. સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન પોલીસની ટીમ રાજસ્થાનના ઉદેપુર ખાતે તપાસમાં હતી, ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ચિઠોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી ઉદેપુરના દેબારી ચૌરાહા રોડ પર ઊભો છે.
બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી દેબારી ચૌરાહા ખાતે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
કોણ છે પકડાયેલ આરોપી અને શું છે ગુન્હો?
-
આરોપીનું નામ: કમલેશભાઇ ગણેશલાલ લુહાર (રહે. બડીયાર, તા. માવલી, જી. ઉદેપુર, રાજસ્થાન).
-
ગુન્હાની વિગત: આરોપી કમલેશ લુહાર ચિઠોડા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૧૮ ના બે અલગ-અલગ ગુન્હાઓમાં છેલ્લા ૮ વર્ષથી નાસતો ફરતો હતો:
-
ફર્સ્ટ ગુ.ર.નં. ૧૨/૨૦૧૮ (IPC કલમ ૨૭૯, ૩૩૭ તથા એમ.વી. એક્ટ).
-
થર્ડ ગુ.ર.નં. ૪૬/૨૦૧૮ (પ્રોહીબિશન એક્ટ કલમ ૬૫(ઇ), ૯૮(૨)).
-
આરોપીની અટકાયત ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) કલમ ૩૫(૧)(જે) મુજબ કરીને તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
કામગીરી કરનાર ટીમ
આ સફળ ઓપરેશન સાબરકાંઠા LCB ના પી.આઈ. ડી.સી. સાકરીયા, પી.એસ.આઈ. એસ.જે. ચાવડા, એ.એસ.આઈ. નિર્ભયસિંહ, સચીનકુમાર, કમલેશસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ રાકેશસિંહ, પ્રવીણસિંહ, અનિરૂધ્ધસિંહ, ઘનશ્યામસિંહ, નરેન્દ્ર અને કાળાજી ભગાજીની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતુ




