સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને પગલે પોલીસ તંત્ર એલર્ટ: નાગરિકોને સાવચેતી રાખવા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલની અપીલ

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ સંપૂર્ણપણે સતર્ક અને સજ્જ  છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલ દ્વારા તમામ નાગરિકોને માહિતી આપતાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લાના નીચાણવાળા વિસ્તારો, કોઝવે અને બ્રિજ પર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના પોઇન્ટ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએ તરવૈયાઓની યાદી તૈયાર કરી બચાવ માટેની જરૂરી સામગ્રી સાથે પોલીસ વિભાગને સજ્જ રાખવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારો, નદીઓ અને નાળામાં જવાનું ટાળવું. ખાસ કરીને યુવાનોને નદી-નાળામાં સ્ટંટ કરવા જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન રસ્તાઓ લપસણા થતા હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક અને શાંતિથી વાહન ચલાવવા વિનંતી કરવામાં આવી છે. તે સિવાય વિજયનગર, ખેડબ્રહ્મા, પોશીના અને ખેરોજ વિસ્તારના પ્રતિબંધિત જંગલોમાં જવાનું ટાળવા જણાવ્યુ છે.

પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તેમજ NDRF અને SDRFની ટીમો સાથે સતત સંકલનમાં રહીને કામ કરી રહ્યું છે. કોઈપણ કટોકટી કે ઈમરજન્સીના સમયે નાગરિકો તુરંત જ ૧૧૨ અથવા ૧૦૦  ડાયલ કરીને મદદ મેળવી શકે છે. સાબરકાંઠા પોલીસ અને વહીવટી તંત્ર નાગરિકોના સહકારથી કોઈપણ આપદાને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!