ગુજરાત

ભારતના ચૂંટણી પંચ દ્રારા ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો

શીતલ ઠાકર,ગાંધીનગર
• તા.૩૦મી માર્ચ, ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે.

• તા.૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે

• તા.૭મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે.

• તા.૯મી એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.

• તા.૨૩મી એપ્રિલ, ૨૦૨૬ ના રોજ મતદાન યોજાશે.

• તા.૪થી મે, ૨૦૨૬ના રોજ પરિણામ જાહેર થશે.

ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી

ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છેજે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તા.૩૦ માર્ચ૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશેજ્યારે તા.૨૩ એપ્રિલ૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૪ મે૨૦૨૬ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવાકર્ણાટકમહારાષ્ટ્રનાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છેજે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે તા.૩૦ માર્ચ૨૦૨૬ થી તા.૦૬ એપ્રિલ૨૦૨૬ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશેઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તા.૧૫ માર્ચ૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશેઉલ્લેખનીય છે કેતાજેતરમાં જ ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!