સાબરકાંઠાના ૩૨ પોલીસકર્મીની પોલીસવડાએ આંતરિક બદલીના હૂકમો કર્યા.
હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેલ, ડ્રાઈવર, વુમન, અને આર્મ લોકરક્ષકની બદલી કરી

જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠાના જિલ્લા પોલીસવડાએ પોતાની સત્તાની રૂએ તથા વહીવટી કારણોસર સોમવારે ૩૨ પોલીસકર્મીની આંતરિક બદલીના હૂકમો કર્યા બાદ કેટલાક પોલીસકર્મીઓમાં તેના મિશ્ર પ્રતિભાવ પડયા છે.જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વહીવટી કારણોસર જાહેરહિતમાં સોમવારે ૩૨ પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ કર્યા છે. આ બદલીઓ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં કરવામાં આવી છે. બદલી કરાયેલા પોલીસકર્મીઓમાં આર્મ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ, વુમન હેડ કોન્સ્ટેબલ,આર્મ લોક રક્ષક,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ,વુમન આર્મ પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર એ.એસ.આઈ. સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.આ પોલીસકર્મીઓને ઇડર, વિજયનગર, ખેરોજ, મહિલા પોલીસ સ્ટેશન, ગાંભોઈ, પોલીસ હેડક્વાર્ટર, પ્રાંતિજ પોલીસ સ્ટેશન, અરજી શાખા, એ ડિવિઝન, એમટી શાખા, સિટી ટ્રાફિક શાખા, ચિઠોડા, ખેડબ્રહ્મા, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને હાઈવે ટ્રાફિક શાખા જેવી જગ્યાઓ પરથી બદલી કરવામાં આવી છે. તેમની બદલી સિટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક શાખા, એમટી શાખા, વડાલી પોલીસ સ્ટેશન, બીડીડીએસ શાખા, પોલીસ હેડક્વાર્ટર, એએચટીયુ શાખા, આર્મર શાખા, ક્યુઆરટી શાખા, ચિઠોડા પોલીસ સ્ટેશન, ખેડબ્રહ્મા, ગાંભોઈ, હિંમતનગર ગ્રામ્ય, ખેરોજ પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ, એસઓજી શાખા ટેકનિકલ, જાદર, તલોદ, ઇડર અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન સહિતના વિભાગોમાં કરવામાં આવી છે.



