હિમતનગર

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અન્વયે સાબરકાંઠામાં મતદાન કરાયું.

૯ માર્ચે મતગણતરી ચૂંટણીમાં રાજ્યમાંથી ૯૯ ઉમેદવારો વચ્ચે જંગ

જીગ્નેશ સોની હિંમતનગર

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોની ચૂંટણી શુક્રવારે યોજાઈ છે ત્યારે તેના ભાગરૂપે સાબરકાંઠાના પાંચ મતદાન મથકો પર જિલ્લાના અંદાજે ૧પ૦૦ વકિલો(મતદારો)એ મતદાન કર્યું હતુ. જેની ગણતરી આગામી તા. ૯ માર્ચના રોજ અમદાવાદ ખાતે થશે.
સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બાર કાઉન્સિલની ચૂંટણી તા. ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં તા. ૬ માર્ચના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેના ભાગરૂપે શુક્રવારે સાબરકાંઠાના પાંચ સેન્ટરો પર થયું હતુ. ૨૩ બેઠકો માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેના માટે સાબરકાંઠા જિલ્લાના ૧૫૦૦ ધારાશાસ્ત્રીઓ પૈકી મોટાભાગના મતદારોએ પ્રેફરન્સ મત આપી મતદાન કર્યું હતુ.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ૨૩ બેઠક માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ, પ્રાંતિજ, ઈડર અને ખેડબ્રહ્મા ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યા હતા. જ્યાં સ્થાનિક ધારાશાસ્ત્રીઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત પેટી સીલ કરી ગુજરાત હાઇકોર્ટ ખાતે મોકલવાની તજવીજ કરાઈ હતી. જેની મતગણતરી આગામી ૯ તારીખના રોજ થશે જ્યાં મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!